મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના દાતાઓ વરસી જતા પાંજરાપોળ માટે એક જ દિવસમાં ૫૧.૪૪ લાખનું મળ્યું દાન


SHARE











 

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના દાતાઓ વરસી જતા પાંજરાપોળ માટે એક જ દિવસમાં ૫૧.૪૪ લાખનું મળ્યું દાન

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શકાતી પ્રમાણે આ દિવસે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કેવાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વર્ષી પડતા મોરબીની પાંજરાપોળને ૫૧.૪૪ લાખનું દાન મળ્યુ છે.

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કેઆ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે.

 મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ સિરામિક) સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કેઆજની તારીખે ૪૨૦૦ થી વધુ ઢોરનો નિભાવ અહી કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ ગઇકાલે સવારથી લઇને સાંજ સુધીમાં સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૫૧.૪૪ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે અને ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે.જે કોઈ દાતાઓ દાન આપવા માંગતા હોય તેઓ મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ ટ્રસ્ટની ઓફિસએ પણ દાન નોંધાવીને પોહચ મેળવી શકે છે. તેમ યાદીમાં જણાવવા માં આવેલ છે.

 
 
   
 
 
 
 
 
 
 
 
 
 

 






Latest News