મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સગીરાને ગર્ભ રાખી દેનારા ઢગાને પોલીસે દબોચ્યો


SHARE













મોરબી તાલુકામાં સગીરાને ગર્ભ રાખી દેનારા ઢગાને પોલીસે દબોચ્યો

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીર વયની માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુના દુકાનદાર ઢગાની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અગાઉ માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ જો વાત કરીએ તો હાલમાં મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભ રાખી દીધો હોવાનું સામે આવ્યું છે અને સગીરાને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર મામલો સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી હાલમાં આરોપી સુરેશ ભગવાનજી ઝાલરીયા (42) નામના શખ્સની ધરપકડ કરેલ છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ જણાવ્યુ હતુ કે, સગીરાને બે ચાર દિવસ પહેલા પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે લઈને ગયા હતા ત્યારે ડોક્ટરે સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તને પેટમાં ૧૯ સપ્તાહનો ગર્ભ હોવાની માહિતી આપી હતી જેથી કરીને માનસિક અસ્થિરતાનો ગેરલાભ ઉઠાવીને કોને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે તે પ્રશ્ન ઊભો થયો હતો અને આ દીકરીને વિશ્વાસમાં લઈને તેને પુછવામાં આવતા સુરેશ ભગવાનજી ઝાલરીયા નામના શખ્સે વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ભોગ બનેલી સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે હાલમાં માનસિક અસ્થિર સગીરા સાથે દૂષકર્મ આચારનારા આરોપીને તો પોલીસે ઝડપી લીધેલ છે જો કે, આવા શેતાનો કયા સુધી માસૂમ દીકરીઓના દેહને અભડાવતા રહેશે તે સૌથી મોટો સવાલ છે 




Latest News