મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું


SHARE











માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું

જર, જમીન અને જોરુ છે કાઝીયના છોરું... આવી જ  એક ઘટના મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે બનેલ છે અને ત્યાં મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્ની વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઇનત અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી જે ગુનામાં પોલીસે આરોપીએ કરેલા એક ફોનના આધારે હત્યાના કેસની ગુથી ઉકેલી નાખેલ છે

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદથી ત્યાં રહેતો આદિવાસી પરિવાર ગુમ હતો જો કે, તે પરિવાર કયાથી આવ્યો હતો અને કયા ગયો છે તેની કોઇની પાસે માહિતી ન હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહેવિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને હાલમાં યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને એમપીના અલીરાજપુરમાંથી માળીયાની પોલીસ પકડીને લઈ આવી છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપી મૃતક રોહિતભાઈના કાકાના વાડામાં રહીને કામ કરતો હતો અને તેની પત્ની તેમજ સંતાનો પણ તેની સાથે જ રહેતા હતા જો કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપી અને મૃતક વચ્ચે માથાકૂટ થયેલ હતી અને ત્યારે આરોપી દિનેશે મૃતકને માથાના ભાગે પથ્થરના ઘા માર્યા હતા અને બાદમાં છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ દિનેશ તેની પત્ની અને સંતાનોને લઈને ત્યથી નાશી ગયો હતો જો કે, તેને ગામના જ એક વ્યક્તિ મુકેશ બેચારભાઈ સુરેલાના ફોનમાંથી તેના સબંધીને ફોન કર્યો હતો જેથી તેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા પ્રયત્ન શરૂ કરેલ હતા અને હાલમાં આરોપીને પકડી લેવામાં આવેલ છે

માળીયાનાં વિરવિદરકા ગામે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જેનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, આરોપી સુધી પહોચવા માટેની કોઈ કડી મળી રહી ન હતી ત્યારે આરોપી અગાઉ કરેલા એક ફોન કોલના નંબરના આધારે પોલીસે એમપી સુધી પહોચી ગયેલા આરોપી સુધી પહોચીને આરોપીને દબોચી લીધેલ છે જેથી કરીને હત્યાના આ બનાવનો તો ભેદ ઉકેલાઈ ગયો છે જો કે, મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તે કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે






Latest News