માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી રાજપર રોડે થોરાળા પાસે કાર વિજપોલ સાથે અથડાતા મહિલા સહિત ત્રણના મોત


SHARE

















મોરબી રાજપર રોડે થોરાળા પાસે કાર વિજપોલ સાથે અથડાતા મહિલા સહિત ત્રણના મોત

મોરબી રાજપર રોડ પર થોરાળા ગામ થી આગળ ના ભાગમાં વિજપોલ સાથે એસેન્ટ કાર ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતા હાલમાં મૃતકોના મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃત વ્યક્તિઓની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે મોડી સાંજના સમયે મોરબીના રાજપર રોડ ઉપર થોરાળા થી આગળ આવેલ એસેન્ટ કાર પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલકે પોતાના કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર વિજપોલ સાથે અથડાઈ હતી અને કાર પલટી મારી ગઇ હતી અને આ ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા ડ્રાઇવર, એક મહિલા અને અન્ય વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને મહિલા સહિત અન્ય બે વ્યક્તિના મોત થયા છે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ મળીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિ મોરબીના રાજપર પાસે આવેલ પોલીપેકના કારખાના ની અંદર મજૂરી કામ કરતા હતા અને જે ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજયા છે તેમાંથી એક કોન્ટ્રાક્ટર છે અને મહિલા સહિત બે મજુર છે.




Latest News