મોરબીના પીપળી રોડને તાત્કાલિક રીપેર કરવા અજય લોરીયાએ સીએમ-પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત..!
મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ
SHARE
મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ
મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે ત્યારે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને પાઇપ લાઇનની બાજુમાં આવેલ ૧૫ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ખેડૂતોના રવીપાર્કને મોટા પ્રમાણમા નુકશાન થયું છે જે મુદે કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરેલ છે
મોરબી તાલુકના ભરતનગર ગામ પાસે કેનાલની બાજુમાં નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને તે પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું જેથી કરીને ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને આ મુદે રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી-૨ ડેમથી થી નવા સાદુળકા સુધી પાણીની પાઈપ લાઈન પથરવામાં આવેલ છે જે નવી પાઈપલાઈનમાંથી પાણી છેલ્લા ચાર દિવસથી નીકળે છે અને તે પાણી ખેતરોમાં ફરી વળ્યા છે માટે પાકને નુકશાન થયું છે માટે ખેડૂતોએ વળતરની માંગણી કરેલ છે અને વળતરની માંગ સાથે હાલમાં કામ બંધ કરાવ્યુ છે