મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન


SHARE

















માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકા સાથે હંમેશા ઓરમાન વર્તન કરવામાં આવે છે અને હાલમાં ત્યાનો રસ્તો બિસ્માર છે તો પણ તેને રીપેર કરવા આવી રહ્યો નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ ગુજરાતના સીએમને રજૂઆત કરીને તાત્કાલિક રોડ રીપેર કરવાની માંગ કરેલ છે

માળિયા (મી.) ગામમાં સુવિધાના નામે આજે મીંડું છે અને ગામમાં રોડ, ભૂગર્ભ ગટર, પાણીની વ્યવથા ખુબ જ ખરાબ છે. માળિયા (મી.)માં બસસ્ટેન્ડ પણ નથી..! તાલુકા પંચાયત કચેરી ભંગાર હાલતમાં છે. હોસ્પિટલમાં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓ નથી તદઉપરાંત માળિયા જે નેશનલ હાઇવે ૮-અ થી જે રસ્તાથી જોડાયેલ છે. તે રસ્તો ખુબ જ બિસ્માર છે અને વારંવાર રજુઆતો કરવા છતાં તંત્રમાં આ બાબતે કોઇ ધ્યાન આપતું નથી. તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરીને માંગણી કરેલ છે કે આ રોડનું રીપેરીંગ કામ તાતાક્લીક કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક  કાર્યકર્મો કરવામાં આવશે 




Latest News