મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં રહેતી પરિણીતાને માવતરે જવા પતિએ રૂપિયા ન આપતા જાત જલાવીને કર્યો આપઘાત
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં રહેતી પરિણીતાને માવતરે જવા પતિએ રૂપિયા ન આપતા જાત જલાવીને કર્યો આપઘાત
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલા કારખાનામાં મજૂરી કામ કરતા અને ઓરડીમાં રહેતા પરિવારમાં પરણિતાને પોતાના માતા-પિતાના ઘરે જવું હોય પકિ પાસે પૈસાની માગણી કરી હતી જોકે પતિએ પૈસા ન આપતા તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારે ઉશ્કેરાટમાં આવીને પરિણીતાએ પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરના આરોગ્યનગરના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મહેન્દ્રભાઈ મઠીયાના પત્ની કુસુમબેન (ઉંમર વર્ષ 33) પોતાના માતા-પિતાના ઘરે વતનમાં જવું હતું જેથી કરીને તેના પતિ પાસે પૈસાની માગણી કરી હતી જોકે પતિ એ પૈસા ન આપતા તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે બાબતનું મનમાં લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર જ શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટી કાંડી ચાંપી દીધી હતી જેથી પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ નીપજતાં હાલમાં મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









