મોરબીના રોહીદાસપરામાં મકાનમાંથી 1.37 લાખના વાયરની ચોરી કરનારા ત્રણ શખ્સોની ધરપકડ
SHARE
મોરબીના રોહીદાસપરામાં મકાનમાંથી 1.37 લાખના વાયરની ચોરી કરનારા ત્રણ શખ્સોની ધરપકડ
મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદરથી વાયર ના જુદા જુદા બંડલોની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને કુલ મળીને 1.37 લાખ રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવેલ હતી માટે ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં વાયરની ચોરી કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રોહીદાસપરામાં હનુમાનજી મંદિર પાસે ખાડા વિસ્તારમાં રહેતા સુરેશચંદ્ર શ્રીભવાનીપ્રસાદ મિશ્રા (ઉંમર વર્ષ 45) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશભાઈ જગદીશભાઈ સારેસા, મુકેશભાઈ હરિભાઈ ચાવડા અને રજાકભાઈ લતીફભાઈ કચ્છીની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં યુવાને ફરિયાદ નોંધાવી હતી તેમાં તેણે જણાવ્યું હતું કે તેના મકાનના પાછળના ભાગે બારીનો કાચ તોડીને ત્યાંથી દરવાજાના લોકને ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને જુદા જુદા વાયરના કુલ મળીને સાત બંડલની ચોરી કરી હતી જેની કુલ મળીને કિંમત 1.37 લાખ રૂપિયાના વાયર આરોપીઓ ચોરી ગયા હતા આ ચોરીની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ચોરીના ગુનામાં હરેશભાઈ જગદીશભાઈ સારેસા, મુકેશભાઈ હીરાભાઈ ચાવડા અને રજાક લતીફભાઈ કચ્છી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે









