મોરબી બી ડિવિજન પોલીસની બે રેડ : દારૂ બિયરની ૧૩૬ બોટલો સાથે ત્રણ ઝડપાયા
Morbi Today
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવી
SHARE
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવી
મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના અગ્રણી જયરાજભાઈ સંપટ તથા જ્યોતિબેન સંપટ દ્વારા પોતાના લગ્નની ૪૭ મી વર્ષગાંઠ ની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદનું વિતરણ કરીને લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા









