મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ


SHARE











મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ

મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર કામગીરી ચાલી રહી છે અને તે કામમાં અનેક ક્ષતિઓ છે જેને દૂર કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને માંગ કરલે છે

હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે અને અગાઉ નબળું કામ કરવામાં આવ્યું હતું જેથી ખુબ જ ઓછા સમયમાં રોડ તૂટી ગયો હતો અને કામ ફરીથી કરવાની જરૂર પડી છે ત્યારે લોકોના ટેક્ષના રૂપિયાનો બગાડ ન થાય તે માટે હાલમાં ચાલતા કામમાં અત્યારે પણ કામ ખુબ જ નબળી ગુણવતાનું થઇ રહ્યુ છે અને સ્થળ ઉપરના કોન્ટ્રકટરના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટની નકલ ઉપલબ્ધ ન હતી અને સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું  

હાલમાં ખોદેલા રોડમાં નીચે બેઈઝમાં લુઝ મટીરીયલ્સ કે જે નબળી ગુણવતા તેમજ અયોગ્ય હતું તેને નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં ચાલી રહેલું કામ ખુબ જ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું છે અને સિમેન્ટ કોન્ક્રેટને પાણી છાંટવામાં ભયકર બેદરકારી રાખવામા આવી રહી છે જેથી કરીને કામ યોગ્ય રીતે કરવામાં આવે  અને સાઈટ પરના એન્જીનીયર સતત ત્યાં દેખરેખ રાખે અને હાલમાં જે કામ કરવામાં આવેલ છે તેમાંથી સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ શરૂ નહિ કરવામાં આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને  ગાંધી ચિંધ્યા માર્ગો રજુઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News