મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા


SHARE











કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા

ભા૨ત સ૨કા૨નુ બજેટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે આ બજેટ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક છે અને લધુતમ ટેકાના ભાવની ગેરંટી અંગે કોઈ સરકારે કોઈ જાહેરાત કરી નથી અને કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો કર્યો હતો જો કે, તે પોકળ સાબિત થયેલ છે તેવું વાંકાનેર યાર્ડના ચેરમેન શકીલએહમદ કે. પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણીએ જણાવ્યુ છે

વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન અને વાઈસ ચેરમેનએ કહ્યું છે છે કે, ખેતી અને ગ્રામ્ય ભારતના વિકાસની ભારત સરકારના બજેટ વર્ષ ૨૦૨૨–૨૩માં કોઈ મોટી જાહેરાત કરાઈ નથી એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ૩ કૃષિ કાયદાઓ પરત ખેચવામા આવ્યા પણ ખેડૂતોની લધુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી) ની ગેરંટની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમા કોઈ જાહેરાત થઈ નથી સરકારની ગત વર્ષોની બહુચર્ચીત ઈ-નામ યોજના તેમજ હાલના કાર્યરત માર્કેટ યાર્ડોના વિકાસ માટે પણ કોઈ વિશેસ જાહેરાત કરાઈ નથી

ખાસ કરીને સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામા આવી નથી અને આ દાવો પોકળ સાબીત થયો છે ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેફામ ભાવ વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમા ઘટાડો થયો છે ખાતરોનો ભાવ નિયંત્રીત કરવા અંગે કોઈ નકકર જાહેરાત કરવામા આવી નથી . ભારત સરકારનુ બજેટ વર્ષ ૨૦૨૨–૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે






Latest News