ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE













મોરબી : કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ
 
મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ કેન્સર ડે નિમિતે લોકો આ જીવલેણ બીમારીથી બચે તે માટે તેમને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરો શહેરના જાહેર વિસ્તારોમાં ફરીને બેનેરો પ્રદર્શિત કરીને લોકોમાં કેન્સર સામે જાગૃતિ લાવી ખાસ કરીને યુવાવર્ગ આ જીવલેણ બીમારીથી બચે તે માટે યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.
 
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વર્લ્ડ કેન્સર ડે નિમિતે કેન્સર વિરોધી જનજાગૃતિ અભીયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કેન્સર જેવી પ્રાણઘાતક બીમારીથી લોકો બચે તેમજ જે લોકો નિયમિત વ્યસન કરતા હોય તે વ્યસનથી દુર રહે અને કેન્સરથી બચે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરો દ્વારા કેન્સર વિરોધી પોસ્ટર સાથે શહેરભરમાં ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના નવા બસસ્ટેન્ડ, શનાળા રોડ, ઉમિયા સર્કલ, બાયપાસ, ભક્તિનગર સર્કલ, સ્કાઈ મોલ, વીસી ફાટક, નટરાજ ફાટક સહિતના જાહેર વિસ્તારોમાં કેન્સર સામે જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું.સાથેસાથે દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાતા યુવાનો આ મહારોગથી દુર રહે તે માટે તેમને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.





Latest News