કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય


SHARE













મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  રાજકોટ સંસ્થાનની શાખા એવા મોરબી સ્વામીનારાયણ ગુરૂકુલમાં વસંતપંચમી તેમજ શિક્ષાપત્રી જયંતી નિમિત્તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણજીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણદાસજી સ્વામી અને પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામીએ મંત્રોચ્ચાર કરી પૂજન વિધિ કરાવી હતી.જેમાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફલાઈન ભાગ લીધો હતો.તેમજ આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઇન ભાગ લઇને પૂજા-અર્ચના કરી હતી. શિક્ષાપત્રી તેમજ વસંત પંચમીનું મહત્વ વિશે વાલી ભાડજા પ્રિયાબેન વિજયભાઈ અને શિક્ષિકા અંદરપા નિશાબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આમ સર્વેએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી પોતાની ફરજ નિભાવી હતી.તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની પ્રથમ શરૂઆત સન ૧૯૪૮ માં પૂજ્ય ગુરુવર્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા થયેલી હોય સ્વામીશ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને સંબોધ્યા હતા.






Latest News