મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા


SHARE







મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા

મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકારે નકકર કામ કરવુ પડશે.ટ્રાફિકના નામે પ્રજા અને પોલીસને દોશ દેવો એ યોગ્ય નથી.નવા રસ્તા-બેઠા પુલ બનાવી ટ્રાફિક સમસ્યા હલ કરવી જોઇએ.મોરબી-૨ વિસ્તારમા એક બેઠો પુલ છે તેની બાજુમાં બીજો બેઠો પુલ બનાવીને જે સામે નાલામા થઈ શકે એમ છે તો આવન જાવન સરળ બની શકે આ અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

વધુમાં લાલજીભાઇ મહેતાના જણાવ્યા મુજબ મોરબીમા ટ્રાફિક વ્યવસ્થાનો મોટો પ્રશ્ન છે.અવારનવાર ટ્રાફિક બાબતે પોલીસ અને પ્રજા સામે તીર તાકવામાં આવે છે.ટ્રાફિક વ્યવસ્થા સારી રહે તે માટે સરકારએ પ્રજાલક્ષી કામ કરવા જોઇએ.મોરબી-૨ સામાકાંઠા વિસ્તારમા સવારે ૮ થી ૧૦ અને સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી ભયંકર ટ્રાફિક સમસ્યા થાય છે. મોરબી-૨ વિસ્તારમા એક બેઠો પુલ છે તેની બાજુના નાલા ઉપર જો બીજો બેઠો પુલ બનવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થાય અને ત્યાં અવરજવર સરળ બનશે.પોલીસ કેટલુંક કરે ?! આ બેઠા પુલ માટે સરકારે નગરપાલિકાને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવે તેવી જ રીતે હકુની પાજ પાસેથી બેઠો પુલ બનાવી સ્મશાન પાસેથી કાઢવામા આવે તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે તેમ છે.નગરપાલિકા અને સરકાર આ બન્ને જગ્યાઓએ બેઠા પુલ બનાવે તે અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.






Latest News