માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા પાસે છોટાહાથીના ચાલકે નાના બાળકને હડફેટમાં લેતાં બાળકનું કમકમાટીભર્યું મોત


SHARE

















મોરબીના ઢુવા પાસે છોટાહાથીના ચાલકે નાના બાળકને હડફેટમાં લેતાં બાળકનું કમકમાટીભર્યું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસે નવા બની રહેલા સિરામીકના કારખાનામાં ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પાણીના ફેરા કરતાં છોટાહાથીના ચાલકે આગળપાછળ જોયા વિના તેનું વાહન રિવર્સમાં લેતા દોઢ વર્ષીય આદિવાસી બાળકનુ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામની પાસે નવા બની રહેલા સનબીમ નામના કારખાનામાં વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં પીવાના પાણીના ફેરા કરતાં છોટાહાથી નંબર જીજે ૨૫ ટી ૫૧૫૨ ના ચાલક શૈલેષ ચતુર પંસારા જાતે દેવીપુજક (૨૪) ધંધો ડ્રાઇવિંગ રહે.માનસર તા.જી.મોરબી વાળાએ આગળપાછળ જોયા વિના તેનું વાહન રિવર્સમાં લેતા નિલેશ સુનિલભાઈ ડામોર નામના દોઢ વર્ષીય આદિવાસી બાળકને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.બનાવ સંદર્ભે મૃતક નિલેશના પિતા સુનીલ રમેશભાઇ ડામોર જાતે આદિવાસી (૨૭) રહે.હાલ સનબીમ સિરામિક ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મૂળ રહે.ભામલ તા.થાંદલા જી.જાંબુઆ મધ્યપ્રદેશ વાળાએ છોટાહાથીના ચાલક શૈલેષ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના જે.જી.ઝાલાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી જતાં મહિલા રાજકોટ ખસેડાઇ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા કાશીપુર ગામે રહેતા ગૌરીબેન હરજીભાઈ કાળુભાઈ માલકીયા નામની ૩૨ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં ગૌરીબેનને અહીંની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલે પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.તેમજ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના જૂના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા સીતાબેન રવિભાઈ રાઠવા નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લવાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળીયા પોલીસને જાણ કરી હતી.




Latest News