મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત


SHARE













મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

હાલ મોરબીના સામાકાંઠે ભડીયાદ ઢોરા નજીક રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૂળ જામનગરનાં કોળી યુવાનનું મોત નિપજયું હતુ.મૃતક યુવાન તેના રહેણાંક વિસ્તારમાં રહેતી કોઈ યુવતીને પ્રેમ કરતો હતો અને તેમાં લાગી આવવાથી યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ જામનગરનો અને હાલ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રામદેવપીરનો ઢોરો વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો સંજય ધીરૂભાઈ વાઘવાણા જાતે કોળી નામના ૨૨ વર્ષીય અપરણીત યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.ત્યાંથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતો કે મૃતક સંજય કોળી મોરબીમાં જયાં રહેતો હતો તેના રહેણાક વિસ્તાર આસપાસ કોઈ યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

યુવાનનું મોત

મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાનો વતની અને હાલ મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરની બાજુમાં આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો રાજેન્દ્રયાદવ રેખાયાદવ યાદવ રઘુવંશી પોતાનો થૈલો લઈને પોતાના વતન ઉત્તરપ્રદેશના દેવરીયા જવા માટે નીકળ્યો હતો અને તે મોરબીની પંચાસર ચોકડી પાસે પહોંચ્યો હતો ત્યારે પંચાસર ચોકડી નજીકના હનુમાન મંદિર પાસે તે બાંકડા ઉપર સૂતો હતો અને તે મોડે સુધી ઉઠયો ન હોય આસપાસના લોકોએ એકત્ર થઇને ૧૦૮ માં જાણકારી આપતા ૧૦૮ દ્વારા તેને બેભાન હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકને લીધે રાજેન્દ્રયાદવ રેખાયાદવ યાદવ જાતે રઘુવંશી (ઉમર ૪૧) નામના મૂળ દેવરિયા ઉત્તરપ્રદેશના મજૂર યુવાનનું મોત નીપજ્યું હોય બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી સીટી એ ડિવિજન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News