મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું


SHARE











મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નાગડાવાસ ગામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લુ મુક્યા બાદ ક્રિકેટ રમ્યા હતા અને તેઓએ જણાવ્યુ હતું કે, ગ્રામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અનેક પ્રતિભાશાળી રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબીત થશે. આ ગ્રાઉન્ડ પર યુવાનોને રમતોમાં પોતાની પ્રતિભા ખીલવવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઈ હુંબલ સહિતના આગેવાનો તેમજ નાગડાવાસ ગામના અગ્રણીઓ, દાતાઓ, યુવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News