મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો


SHARE

















મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન વાંકાનેરની મોહંમદી લોકશાળા ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલબેન વ્યાસ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, નાકિયા તથા જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે અતિથિ વિશેષ તરીકે વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, મુખ્ય મહેમાન તરીકે વાકાંનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ અહેમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી તથા મોહંમદી લોકશાળાના આચાર્યની એમ.એ. માથાકિયાહાજર રહ્યા હતા અને આ સ્પર્ધામાં ૬ થી લઈને ૬૦ વર્ષ સુધીના આશરે ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પટોડી, સૈયદ ફરહતઅલી, તૈમુદ્દીન શેરસિયા, સોયેબઅલી, જુનેદ વડાવીયા, જેઠાલાલ તથા પ્રાથમીક શિક્ષક મંડળ વાંકાનેરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમજ ઉદ્દઘોષક તરીકે મોહસીન મારવીયા એ સેવા આપી હતી




Latest News