મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો


SHARE













મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન વાંકાનેરની મોહંમદી લોકશાળા ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલબેન વ્યાસ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, નાકિયા તથા જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે અતિથિ વિશેષ તરીકે વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, મુખ્ય મહેમાન તરીકે વાકાંનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ અહેમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી તથા મોહંમદી લોકશાળાના આચાર્યની એમ.એ. માથાકિયાહાજર રહ્યા હતા અને આ સ્પર્ધામાં ૬ થી લઈને ૬૦ વર્ષ સુધીના આશરે ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પટોડી, સૈયદ ફરહતઅલી, તૈમુદ્દીન શેરસિયા, સોયેબઅલી, જુનેદ વડાવીયા, જેઠાલાલ તથા પ્રાથમીક શિક્ષક મંડળ વાંકાનેરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમજ ઉદ્દઘોષક તરીકે મોહસીન મારવીયા એ સેવા આપી હતી




Latest News