મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાના અવસાન બાદ તેમણે લખેલ અધૂરું પુસ્તક અડધે રસ્તે અંધારું પૂરું કરીને પુત્રએ તેનું કર્યું વિમોચન


SHARE









મોરબીમાં પિતાના અવસાન બાદ તેમણે લખેલ અધૂરું પુસ્તક 'અડધે રસ્તે અંધારું' પૂરું કરીને પુત્રએ તેનું કર્યું વિમોચન

મૂળ ટંકારાના સજનપર ગામના રહેવાસી ડૉ. રાજેશ મકવાણા કે, જેઓ હાલ ગાંધીનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની હેઠળ ૨૧ જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી. ની ડિગ્રી મેળવી છે અને ડૉ.રાજેશ મકવાણાના પિતાજી સ્વ.જે.ટી.મકવાણા જેઓ એમ.એસ. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. તેમનું ૩૪ વર્ષ જેટલી નાની ઉંમરે અકસ્માતમાં અવસાન થયું હતું અને તેઓએ લખેલું પુસ્તક તેઓના દીકરા ડૉ. રાજેશ મકવાણાએ સંપાદિત કરીને તેમની ૪૦મી પુણ્યતિથિએ મોરબીના ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલખાતે મહાનુભાવોપરિવારજનો અને સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં વિમોચન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં નિર્લોક પરમાર પ્રસ્તુત અને ચેતન દોશી અભિનીત 'રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકરલઘુનાટક રજૂ થયું હતું. અને સંજુ વાળાડૉ. રતિલાલ રોહિતડૉ. જે. એમ. ચંદ્રાવાડિયા, ડૉ. સુનીલ જાદવ તેમજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરત સોલંકી  તેમજ મોરબીના સાહિત્ય સર્જકો હાજર રહ્યા હતા ત્યારે સ્વ. જે.ટી. મકવાણાએ ડૉ. બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થઈને એમને સામાજિક જાગૃતિની જ્યોત પણ જગાડેલી અને લખવાનો શોખ હતો. ખાસ કરીને પોતાના વિચારો અને આત્મવૃત્તાંત તેઓ નિયમિત લખતા હતા.

જો કેખેદની વાત તો એ છે કે એમણે ફાઉન્ટન પેનથી લખેલું સાહિત્ય મોરબીની જળહોનારતમાં ગરકાવ થઈ ગયું. એમાંથી જે બચ્યું તે અને એમના પરિચયમાં આવેલા મિત્રોવિદ્યાર્થીઓ અને સગા સંબંધીઓના સંસ્મરણોનું સંપાદન કરીને પ્રા. ડૉ. રાજેશ મકવાણાએ 'અડધે રસ્તે અંધારુંપુસ્તક તૈયાર કરીને બહોળા લોકસમુદાયની હાજરીમાં લોકાર્પણ કરીને સ્વ. પિતાજીને પુણ્ય સ્મરણાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન આણંદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ રાવત દ્વારા કરવામાં આવ્યું. અને આ પુસ્તક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.






Latest News