વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું


SHARE









મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

મોરબીના લીલાપર રોડ પર આવેલ શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જલ્પેશ વાઘેલાસંજય બાપોદરિયા (સંગી) તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), વિવેક ભાલારાડો. રજનીકાંત રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાના હેતુથી મોરબીમાં ખેડુત માર્ગદર્શન સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્રારા તા.૧૦ ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જુદાજુદા કઠોળ પાકોનું ઉત્પાદન વધારીને દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાનો હતો.કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ ખેડૂત મિત્રોને કઠોળ પાક ઉત્પાદકતા વધારવા નવી નવી જાતો કેન્દ્રના વડા ડૉ.એલ.એલ.જીવાણીએ કઠોળ પાકની જાતો વિશે માહીતી આપી હતી.જ્યારે પાક સંરક્ષણ વિશે કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ.સરડવાએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ પ્રસંગે જૂનાગઢ  કૃષિ યુનર્વિસટીના વિસ્તરણ નિયામક ડૉ.ગાજીપરા, સહ વિસ્તરણ નિયામક ડો.જી.આર.ગોહિલ અને નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો.એમ.કે.એરવાડીયાએ હાજર રહીને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતુ.






Latest News