હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણમાં ઝડપી જજમેન્ટ ન આવતા કરી વડાપ્રધાનને રજૂઆત


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણમાં ઝડપી જજમેન્ટ ન આવતા કરી વડાપ્રધાનને રજૂઆત

મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખિતમાં ફરિયાદ કરીને જણાવેલ છે કે ગુજરાતમાં ગ્રાહક તકરાર અંગેના કેસો કે જેને નિવારણ માટે ગ્રાહક તકરાર કમિશનમાં મૂકવામાં આવે છે ત્યાં તેમજ જિલ્લાકક્ષાએ મૂકવામાં આવેલા કેસોના ત્રણ-ત્રણ વર્ષ સુધી જજમેન્ટ આવતા નથી..! તે માટે યોગ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે.

વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કરેલી રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે, સરકારે 'જાગો ગ્રાહક જાગો' યોજના બહાર પાડી છે જે ખૂબ જ સારી છે જેના લીધે ગ્રાહકોમાં જાગૃતિ આવી છે અને ગ્રાહક અદાલતોમાં જઈને ગ્રાહકોને થયેલ અન્યાય માટે કેશ દાખલ કરાવીને ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે.પરંતુ ગ્રાહકોની તે કમનસીબી છે કે ત્રણ-ત્રણ વર્ષ સુધી તેઓને ન્યાય મળતો નથી..! સરકારનો અભિગમ છ મહિનામાં ન્યાય મળે તેવો છે પરંતુ ગુજરાતમાં હાલ લાંબા સમય સુધી ગ્રાહકોને ન્યાય મળતો નથી જેથી હવે ગ્રાહકોનો 'જાગો ગ્રાહક જાગો' ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.રાજકોટ જિલ્લામાં હાલ મહિનામાં ચાર વખત જ ગ્રાહક તકરાર કોર્ટમાં જજ બેસે છે અને જુદાજુદા જિલ્લાઓમાં અધિકારીઓને જવાનું હોવાથી રાજકોટમાં આવી પરિસ્થિતિ છે. તો ગ્રાહકોને સમયસર તેણે કરેલી ફરિયાદનો ઝડપી ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે અને 'જાગો ગ્રાહક જાગો' યોજનાને સફળ બનાવવા માટે જવાબદાર લોકોને સૂચના આપવામાં આવે તેવી માંગ અહીંના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરી છે અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાગરિક પુરવઠા વિભાગના નરેશભાઈ પટેલ, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાને પણ આ અંગે માહિતગાર કરાયા હોવાનું જાણવા મળેલ છે.






Latest News