માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિ-સસરા જેલ હવાલે 


SHARE

















હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિ-સસરા જેલ હવાલે 

હળવદના મયૂરનગર ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાં દહેજ મુદે ત્રાસ આપતા હતા જેથી તે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો આ બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ તેમજ વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરેલ હતી અને હાલમાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદના મયૂરનગર ગામે એક પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ રંગાડીયા નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક પરિણીતાના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવે તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મૃતક પરિણીતાના પતિ નિકુલભાઇ હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની ધરપકડ કરેલ હતી અને તેને હાલમાં જેલ હવાલે કરેલ છે




Latest News