હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર


SHARE













મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામ નજીકના ત્રિમંદિરમાં મોડી રાત્રિના ત્રણ ઈસમો ચોરીના ઈરાદે મંદિરમાં ત્રાટક્યા હતા અને ત્રિમંદિરમાં રહેલ વોચમેને તેઓને પડકારતાં ઈસમોએ તેને માથામાં ધોકો ફટકારીને ઇજા પહોંચાડી હતી અને જે હાથ લાગ્યું તે લઈને ભાગ્યા હોવાની જાણ થયેલ છે જોકે સીસીટીવી હોવા છતાં પણ ઉપરોક્ત લુંટની ઘટનામાં હાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ત્રી-મંદિરમાં બુધવારની રાત્રીના ત્રણેક ઇસમો ચોરીના ઇરાદે મંદિરમાં ઘુસ્યા હતા.જો કે નાનીવાવડી ગામના રહેવાસી અને ત્રિમંદિરમાં વોચમેન તરીકે કામ કરતા જયંતિભાઈ ઓધવજીભાઈ બાવરવાએ તસ્કરોને પડકાર ફેંકતા તેમના માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ હોવા છતાં હાલ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઇ ખોખર (૫૮) અને શરીફાબેન યુસુફભાઈ ખોખર બાઈકમાં જતાં હતા.ત્યારે રાજકોટ રોડ ઉપર લજાઇ નજીકના રીકોન કલોક પાસે તેઓના બાઇકને અકસ્માત થતાં બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક બાઇક અને બોલેરો વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાં જ રહેતા રાજુ ભારસિંગ મેડા આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News