મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક કૂવામાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE















મોરબીના શનાળા નજીક કૂવામાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના રાજકોટ હાઇવે ઉપર સકત સનાળા ગામ પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતો મૂળ બીહારી મજુર યુવાન કૂવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુળ બિહારનો અને હાલ મોરબી નજીકના સકત સનાળા ગામે આવેલ જેનિસ રીકલેમેશન નામના ટાયરના કારખાના લેબર કવાટરમાં રહેતો જીતેન્દ્રકુમારસિંહ કપિલસિંહ ચંદ્રવંશી (ઉમર વર્ષ ૨૫) નામનો યુવાન ગઇકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં સનાળા ગામે કારખાના પાસે આવેલ કૂવામાં કોઈ કારણોસર પડી ગયો હતો અને ડૂબી જવાથી જીતેન્દ્રકુમારસિંહ ચંદ્રવંશીનું મોત નીપજયું હતું બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટાફે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતો મનીષ સોમલાભાઈ નામનો ૨૨ વર્ષીય યુવાન ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે મીતાણા ચોકડી પાસે હતો ત્યાં તે રિક્ષામાંથી અકસ્માતે નીચે પડી જતાં ઇજાગ્રસ્ત મનીષને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની વજેપર શેરી નંબર ૧૬ માં રહેતો વિજય રવજીભાઈ પરમાર નામનો ૩૮ વર્ષીય યુવાન બાઇક લઇને રવાપર રોડ ઉપરથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત વિજય પરમારને પણ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા હસીનાબેન સલેમાનભાઈ બ્લોચ નામની ૭૦ વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને ઘરેથી દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા હસીનાબેનને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામે સરતાનપર રોડ ઉપરના સંસ્કાર સીરામીક પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી દિપક પ્રભુભાઈ બગાના નામના ૧૬ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News