મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE













મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મકાનની અગાસી પરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હેમરેજ થઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઇ ઉર્ફે લાલો અશોકભાઈ સાપરિયા (ઉંમર ૩૪) નામના યુવાને મોરબી બી ડિવીઝન પોલીસને જાણ કરી હતી કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા રાજેશસિંહ રવિન્દ્રસિંહ રાણા (ઉંમર ૪૨) લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેણાંક મકાનની અગાસી પરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં હેમરેજ થઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી ને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

હાર્ટ એટેકથી મોત 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મૂળ વાઘપર ગામના રહેવાસી અરવિંદભાઈ લક્ષમણભાઈ બાવરવા (૪૦) ને પોતાના ઘરે હાર્ટએટેક આવી જતાં તેના મૃતદેહને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News