મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ-ભૂગર્ભનું કામ ન થાય તો આંદોલન


SHARE













મોરબીના મહેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ-ભૂગર્ભનું કામ ન થાય તો આંદોલન

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓવર બ્રીજની જરૂરિયાત કરતા વધારે જરૂરિયાત વરસાદના પાણીના નિકાલની છે તેમજ ભૂગર્ભ ગટરનો યોગ્ય નિકાલ થાય તેની છે માટે તે બાબતે યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને રજૂઆત કરલે છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલા સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ચારરસ્તા ખાતે ઓવર બ્રીજ બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અને ખાતમહુર્ત બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ છે જે સારી વાત છે પરંતુ મહેન્ર્દનગર ગામને ખુબ જ અગત્યની અને સૌથી વધારે જો કોઈ જરૂરિયાત હોય તો તે છે. વરસાદના પાણીના નિકાલની અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવાની છે પરંતુ તંત્ર આ બાબતે કોઈ જાતનું ધ્યાન આપતું નથી. માટે તે દિશામાં યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરેલ છે અને જો યોગ્ય કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News