મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ


SHARE













મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં ગત મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવતા પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના મકરાણી વાત વિસ્તારમાં તા.૨૧-૨ ના મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર વળે તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી કરી છૂટ્ટા પથ્થર અને બોટલોના ઘા કરાયા હતા જે અંગે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અગાઉ થયેલી મારામારીના ઝઘડાનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં સોડા બોટલના છુટ્ટા ઘા કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

જ્યારે સામાપક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે સામા પક્ષના રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે.બધા મકરાણીવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જૂની અદાવતનો રંજ રાખીને તેઓના ઉપર પથ્થરમારો કરીને સોડા બોટલોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.હાલમાં બંને પક્ષોની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ.એમ.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News