મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ


SHARE







મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં ગત મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવતા પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના મકરાણી વાત વિસ્તારમાં તા.૨૧-૨ ના મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર વળે તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી કરી છૂટ્ટા પથ્થર અને બોટલોના ઘા કરાયા હતા જે અંગે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અગાઉ થયેલી મારામારીના ઝઘડાનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં સોડા બોટલના છુટ્ટા ઘા કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

જ્યારે સામાપક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે સામા પક્ષના રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે.બધા મકરાણીવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જૂની અદાવતનો રંજ રાખીને તેઓના ઉપર પથ્થરમારો કરીને સોડા બોટલોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.હાલમાં બંને પક્ષોની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ.એમ.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News