ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ક્લાસ-ગેસ્ટ લેક્ચરમાં ડિસ્ટ્રીકટ એગ્રીકલ્ચર ઓફિસર વિક્રમસિંહ ચૌહાણ આવ્યા હતા અને તેઓએ ધો. ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વિષય એગ્રીકલ્ચર વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે પોતાના જીવનથી લઈને પોતાના પ્રોફેસનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા સાથોસાથ કૃષિ શા માટે આપણા દેશ માટે મહત્વ ધરાવે છે.?, કૃષિ ક્ષેત્રે કેટલી તકો રહેલી છે? જેવા વિષયોને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા હતા અને FPO-ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેશન વિશે માહિતી, કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે એગ્રીકલ્ચર સાથે જોડાય શકે છે ?, કૃષિ એ કઈ રીતે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક ઉભી કરી શકે છે ?, કૃષિ ક્ષેત્ર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ કઈ રીતે ઉપયોગી છે ? વિગેરે માહિતી આપી હતી અને આ કાર્યક્રમના અંતે નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુ વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા વિક્રમસિંહ ચૌહાણનો આભાર કરવામાં આવ્યો હતો






Latest News