મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ક્લાસ-ગેસ્ટ લેક્ચરમાં ડિસ્ટ્રીકટ એગ્રીકલ્ચર ઓફિસર વિક્રમસિંહ ચૌહાણ આવ્યા હતા અને તેઓએ ધો. ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વિષય એગ્રીકલ્ચર વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે પોતાના જીવનથી લઈને પોતાના પ્રોફેસનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા સાથોસાથ કૃષિ શા માટે આપણા દેશ માટે મહત્વ ધરાવે છે.?, કૃષિ ક્ષેત્રે કેટલી તકો રહેલી છે? જેવા વિષયોને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા હતા અને FPO-ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેશન વિશે માહિતી, કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે એગ્રીકલ્ચર સાથે જોડાય શકે છે ?, કૃષિ એ કઈ રીતે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક ઉભી કરી શકે છે ?, કૃષિ ક્ષેત્ર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ કઈ રીતે ઉપયોગી છે ? વિગેરે માહિતી આપી હતી અને આ કાર્યક્રમના અંતે નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુ વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા વિક્રમસિંહ ચૌહાણનો આભાર કરવામાં આવ્યો હતો






Latest News