માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી


SHARE











મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી

મોરબી જિલ્લામાં ગઇકાલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અધ્યક્ષ, મંત્રી તેમજ દરેક તાલુકાના અધ્યક્ષ, મંત્રી અને દરેક કારોબારી સભ્યો જોડાયા હતા આ કારોબારી બેઠકમાં આગામી વિશ્વ મહિલા દિન અનુસંધાને માતૃ શક્તિ વંદના કાર્યક્રમ વિશે, મંડલ રચના મંડલ સંયોજકની જવાબદારી વગેરે વિશે વાત કરવામાં આવી હતી

આ બેઠકમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ  દિનેશભાઈ વડસોલાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા થતા કાર્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ દરેક તાલુકામાં થયેલ મંડળ રચના ઝાંખી આપી હતી અને મંડળ રચના દ્વારા સંઘને વધુ મજબૂત બનાવવા માટે કેવા કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું અને સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ અંતર્ગત સંગઠન માટે ૭૫ દિવસ ફાળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું  

જિલ્લાના મંત્રી કિરણભાઈ કાચરોલા  દ્વારા દરેક તાલુકામાં થયેલ મંડળ રચના અને દરેક તાલુકાના કારોબારી સભ્યો દ્વારા ૭૫ દિવસના સમય દાનમાં કેવી રીતે કામ કરવુંતેની વધુ માહિતી આપી હતી અને જીલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સમાજ ઘડતર રૂપી કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

તો વિપુલભાઈ આઘારાએ તમામ કાર્યકર્તાઓ સાથે ટુ વે ચર્ચા કરી સંગઠનમાં કેવી રીતે અને કેમ જોડાયા? સંગઠનમાં કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે અને શિક્ષકોના પ્રશ્નો તેમજ જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નોની રજુઆત પ્રદીપભાઈ કુહાડીયા અને કિરીટભાઈ દેકાવડીયા સિનિયર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી, સુનિલભાઈ કૈલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા વગેરેએ પ્રતિભાવ આપ્યા હતા અને પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી






Latest News