મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે


SHARE













મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે

મોરબીના સ્ટેશન રોડ સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ મૂંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આગામી સમયમાં શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે મોરબીના સ્ટેશન રોડ સુપર ટોકીઝ નજીક આવેલી મૂંઢિયા સ્વામીની જગ્યા નીલકંઠ મહાદેવ મંદિરની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના તથા શિવ-પાર્વતી વિવાહ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે યોગેશભાઈ (મો.99095 41225) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

માળિયાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન

માળિયા (મિં) તાલુકાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જાગૃત મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે તા.૧ ના રોજ સમસ્ત રોહિશાળા ગામ દ્વારા જાગૃત મહાદેવના સાનિધ્યમાં રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક અલ્પાબેન રાઠોડ, સાહિત્ય અને હાસ્ય કલાકાર જોરૂભા ડોડીયા દ્વારા સાહિત્યનું રસપાન કરાવવામાં આવશે. આ સંતવાણી કાર્યક્રમમાં સહુ ધર્મ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા રોહિશાળા ગામ સમસ્ત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News