મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમસર ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ત્રણ ભેસ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE













માળીયા (મી)ની ભીમસર ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ત્રણ ભેસ સાથે બે શખ્સ ઝડપાયા

માળીયા હળવદ હાઈવે રોડ ઉપર ભીમસર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો પીકપ ગાડીને રોકેને ચેક કરતાં તેમાંથી ત્રણ ભેંસ મળી હતી જેને ક્રુરતાપૂર્વક બાંધવામાં આવી હતી અને તે ગાડીની અંદર પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા ન હોવાથી હાલમાં ભેંસને કતલખાને લઈ જતા બે શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની સોની બજારમાં વેરાઈ શેરી ખાતે રહેતા ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયાએ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ પદ્માભાઈ પરમાર (ઉંમર ૫૦) અને રાજુભાઈ મનુભાઈ ચૌહાણ (ઉંમર ૪૦) રહે. બંને ચંદ્રપુર તા.વાંકાનેર વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના મચ્છુનગરમાંથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૬૯૪ માં આરોપીઓએ ત્રણ ભેંસને ભરી હતી અને તેને દોરડા વડે બાંધીને ગાડીમાં ઘાસચારા કે પાણીની કોઇપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર કે સક્ષમ અધિકારીનું પાસ પરમીટ રાખ્યા વગર તે પશુઓની હેરાફેરી કરતા હતા અને કતલખાને લઈ જવાતી ત્રણેય ભેંસને બચાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ માળીયા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના વીસીપરામાં કુલીનગર વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ પાસે રહેતા એહમદહુસેન ઇબ્રાહીમભાઇ ભટ્ટી નામના ૩૮ વર્ષીય યુવાનને તેના રહેણાંક વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.સારવાર લીધા બાદ એહમદહુશૈન ભટ્ટીએ મોરબીના પંચાસર રોડ તળાવની પાળ પાસે રહેતા સાજીદ કાદર લધાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે પોતાના નાની અને સામેવાળા સાજીદના ફૈબાના ઘરની પાસેથી પોતે નીકળ્યો હતો તે વાતનો રોષ રાખીને સાજીદે બોલાચાલી કરી ઝપાઝપી અને ઢીકાપાટુ વડે મારામારી કરી હતી હાલ બનાવની ફરીયાદ નોંધાવાતા બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News