મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ


SHARE











મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ

મોરબીમા આડેધળ જમીન દબાણ થાય છે તો પણ સ્થાનીક એજન્સી તરીકે નગરપાલિકા કેમ ચુપ રહે છે..? અને તે પગલા ન લેતી હોય તો સીટી મામલતદાર તેમજ કલેકટર વિભાગ પણ છે.છતાં છેવાડાના વિસ્તારો જ નહીં સીટીની સોસાયટીઓ તેમજ મુખ્ય બજારમાં ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવેલ છે.તે રીતે જ મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે સર્કીટ હાઉસની સામે જ આવેલ રેતીના ગેરકાયદેસર સટ્ટા કરીને ત્યાં જે વરસાદી પાણીના નીકાલ માટેના વોંકળો છે તેમાં ભરતીઓ ભરીને દુકાનો,રેકડીઓ તેમજ ભંગારના ડેલા ખડકી દેવાયા છે.જયારે રેતીના સટ્ટાની પાછળ વેલનાથ મંદિર બનાવાયેલ છે.ભુગર ગટરતેમજ વોંકડાઓ ઉપર કબ્જો જમાવીને ઉપર મંદિર બનાવીને તેની નીચે આલીશાન ઓફીસ બનાવી લેવાયલ છે તેવો આક્ષેપ જાગૃત નાગરીક દ્રારા કરાઇ રહ્યો છે.આવા ગેરકાયદેસર દબાણો અનેક જગ્યાએ છે તેને પાલીકા સહીત સંલગ્ન વિભાગ દુર કેમ નથી કરાતા..? મોરબી નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર આવ્યા તો પણ કોઇ નવી ઉડીને આંખે વળગે તેવી નકકર કાર્યવાહી કેમ નથી થતી..? મોરબીના માળિયા ફાટક પાસે ખરાબામાં બાંધકામ કરીને ઓફીસ બની ગયેલ છે ત્યારે જો પાલીકા તરફથી યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આ મુદદે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી અહીંના એક જાગૃત નાગરિકે ઉચ્ચારેલ છે.






Latest News