ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ


SHARE













મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ

મોરબીમા આડેધળ જમીન દબાણ થાય છે તો પણ સ્થાનીક એજન્સી તરીકે નગરપાલિકા કેમ ચુપ રહે છે..? અને તે પગલા ન લેતી હોય તો સીટી મામલતદાર તેમજ કલેકટર વિભાગ પણ છે.છતાં છેવાડાના વિસ્તારો જ નહીં સીટીની સોસાયટીઓ તેમજ મુખ્ય બજારમાં ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવેલ છે.તે રીતે જ મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે સર્કીટ હાઉસની સામે જ આવેલ રેતીના ગેરકાયદેસર સટ્ટા કરીને ત્યાં જે વરસાદી પાણીના નીકાલ માટેના વોંકળો છે તેમાં ભરતીઓ ભરીને દુકાનો,રેકડીઓ તેમજ ભંગારના ડેલા ખડકી દેવાયા છે.જયારે રેતીના સટ્ટાની પાછળ વેલનાથ મંદિર બનાવાયેલ છે.ભુગર ગટરતેમજ વોંકડાઓ ઉપર કબ્જો જમાવીને ઉપર મંદિર બનાવીને તેની નીચે આલીશાન ઓફીસ બનાવી લેવાયલ છે તેવો આક્ષેપ જાગૃત નાગરીક દ્રારા કરાઇ રહ્યો છે.આવા ગેરકાયદેસર દબાણો અનેક જગ્યાએ છે તેને પાલીકા સહીત સંલગ્ન વિભાગ દુર કેમ નથી કરાતા..? મોરબી નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર આવ્યા તો પણ કોઇ નવી ઉડીને આંખે વળગે તેવી નકકર કાર્યવાહી કેમ નથી થતી..? મોરબીના માળિયા ફાટક પાસે ખરાબામાં બાંધકામ કરીને ઓફીસ બની ગયેલ છે ત્યારે જો પાલીકા તરફથી યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આ મુદદે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી અહીંના એક જાગૃત નાગરિકે ઉચ્ચારેલ છે.






Latest News