મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ગજવનાર રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરમાં રવિવારે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજની ટીમ ત્રાટકતા !, અનેક તર્કવિતર્ક મોરબીના રવાપર ગામે આગામી શનિવારે કિસાન સંમેલન આયોજન, ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટે તેવી શક્યતા: નિલેશભાઈ એરવાડીયા મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો:  ડો.મનીષ સનારીયા


SHARE







મોરબી જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો:  ડો.મનીષ સનારીયા

આગામી દિવસોમાં ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા નજીક આવતી જાય તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન વધતું જતું હોય છે. અને ઘણી વખત તો પરીક્ષા આપ્યા પહેલા જ પરિણામની ચિંતા શરૂ થઈ જાય છે જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ બાળકો તથા દાંતની સ્પર્શ હોસ્પિટલ વાળા ડો.મનીષ એ. સનારીયાએ કેટલાક મહત્વના સૂચનો કરેલ છે

તેમણે કહ્યું છેકે, પરીક્ષાનો બિનજરૂરી હાઉ વિદ્યાર્થીઓએ ઉભો કરવો નહિ. અને વાલીઓએ પણ તેના બાળકને સતત પ્રોત્સાહિત કરવા જોઈએ અને કોઈપણ વિદ્યાર્થીએ બિનજરૂરી પરિક્ષાને લઈને સ્પર્ધામાં ઉતરવું નહિ કેમ કે દરેકની યાદશક્તિ સમાન હોતી નથી એટલા જ માટે દરેકના માર્ક એક સમાન આવતા નથી અને વધારે પડતો આત્મવિશ્વાસ રાખવાના બદલે આપણામાં જેટલી ક્ષમતા છે એટલી જ અપેક્ષા રાખવી અને છેલ્લા દિવસોમા તેમજ પરીક્ષા સમયે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ અને પરીક્ષાનું ટેન્શન લેવાનું નહીં અને પૂરતી ઉંઘ કરી લેવાની છે કેમ કે, આખા વર્ષ દરમ્યાન જે મહેનત કરેલી છે ત્યાર બાદ બિનજરૂરી ઉજાગરા કરવાની જરૂર નથી અને જે પેપર આપવાનું હોય તેની જો આયોજન પૂર્વક તૈયારી કરવામાં આવે તો તેમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે

સામાન્ય રીતે વાલીઓ બીજા હોશિયાર વિદ્યાર્થી સાથે તેના સંતાનની સરખામણી કરે છે અને પોતાન સંતાનને ટકા લાવવા માટે ખોટા લક્ષ્યાંકો આપે છે જો કોઈ લક્ષ્યાંક તમારા સંતાનને બાહી આપો તો પણ તે સારું જ પરિણામ લાવશે તેવો વિચાર વાલીઓએ કરવાની જરૂર છે અને વાલીઓએ પોતાના સપનાનો ભાર સંતાનો ઉપર થોપોની કોઈ જરૂર નથી કેમ કે, તમે જે હાંસલ કરી શકયા નથી, તે તમારા પુત્ર પાસે હાંસલ કરાવવા દબાણ કરો નહિ. અને પરીક્ષા આપવા માટે જતાં વિદ્યાર્થીઓને કોઈપણ રીતે ડર લાગે તેવી વાત કરવી જોઈએ નહીં અને પરિક્ષાને તે પણ હળવાશથી લઈ શકે તેવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ






Latest News