મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી


SHARE













મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી

ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે જેની અમલવારી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં  ૩૪.૩૩ લાખની આવક થયેલ છે

મોરબી પાલિકા દ્વારા વ્યાજ માફી યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકામાં જે આસામીઓના વેરા વર્ષોથી જમા કરવામાં આવેલ નથી તેના ઉપર ઘણું વ્યાજ ચડી ગયું છે ત્યારે સરકારે વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે ત્યારે પાલિકાનું વર્ષો જૂનું માંગણું છૂટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગુરુવારે પહેલા દિવસે આ યોજનાનો લાભ લેનારા આસામીઓને કુલ મળીને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં ૩૪.૩૩ લાખની આવક થયેલ છે અને આ યોજના ૩૧ માર્ચ સુધી અમલમાં છે જેથી વધુમાં વધુ બાકીદારો દ્વારા તેનો લાભ લઈને બાકી વેરા જમા કરવવામાં આવે તેવી અપીલ મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે






Latest News