મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રીની પાછળ બેસીને જતા સમયે પડી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીમાં પુત્રીની પાછળ બેસીને જતા સમયે પડી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના સામાકાંઠે ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા મહિલા પોતાની પુત્રીની પાછળ સ્કુટરમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બમ્પ આવતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઇજા થતાં તેમને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા મનિષાબેન રસિકલાલ વીસાણી નામના ૫૯ વર્ષીય મહિલા ગત તા.૨૭-૨ ના સાંજના છએયક વાગ્યે પોતાના દીકરીની પાછળ સ્કુટરમાં બેસીને જતા હતા ત્યારે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી વચ્ચે વોરાબાગની સામે આવેલ હોટલ કર્ણાવતી નજીક બમ્પમાં મનીષાબેન સ્કુટરના પાછળના ભાગેથી નિચે પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ વધુ સારવાર માટે તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.જયાં ગત તા.૨-૩ ના ચારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મનિષાબેન વિસાણીનું મોત નીપજ્યું હતુ. અમદાવાદ ખાતેથી તપાસના કાગળો આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજાએ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક ઓટોરિક્ષાને ડમ્પરના ચાલકે હડફેટે લીધી હતી જે બનાવમાં રિક્ષામાં સવાર શેખર રમેશચંદ્ર (૨૮) અને હેમલતાબેન માનવીયો (૨૬) રહે.મધ્યપ્રદેશને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે અહીંની મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા આકાશ રીતેશભાઈ નામના ૨૫ વર્ષીય યુવાનને ગઈકાલે મોડી સાંજના આઠેક વાગ્યે રફાળેશ્વર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સિકંદર જુમાભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામના રહેવાસી ભાવનાબેન જગદિશભાઈ દેગામા નામની ૩૬ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર દવા પી લેતાં તેણીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે ભાવનાબેનને માનસિક બીમારી હોય અને તે અંગેની તેઓની દવા ચાલુ છે અગાઉ પણ તેણીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય હાલ તેઓ સારવાર હેઠળ છે.જ્યારે મોરબીના બીલિયા ગામે રહેતા કનુબેન દેવશીભાઇ મુંધવા જાતે ભરવાડ નામની ૧૭ વર્ષીય યુવતીને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News