મોરબીના જલારામ મંદિર દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો વધુ ૩૨૩ દર્દીઓએ લાભ લીધો
મોરબીની સમર્પણ હોસ્પિટલમાં વસંતભાઈ મોવલીયાના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન
SHARE
મોરબીની સમર્પણ હોસ્પિટલમાં વસંતભાઈ મોવલીયાના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સમર્પણ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ ખાતે પાંચ ડાયાલિસીસ મશીન અર્પણ કરવામાં આવેલ છે અને આ ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર ૩૨૩૨ લાયન વસંતભાઈ મોવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લાયન ચંદ્રકાંતભાઈ દફતરી તથા રીજીયન ચેરમેન રમેશભાઈ રૂપાલા તથા ઝોન ચેરમેન તુષાર દફતરી પણ હાજર રહેલ હતા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા, ક્લબ સેકેટરી દિનેશભાઈ વિડજા, ખજાનચી જયદીપ બારા હાજર રહેલ હતા અને વસંતભાઈ મોવલીયાએ નઝરબાગ ક્લબના સેવાકીય કાર્યોને બિરદવ્યા હતા તેમજ ક્લબના ડાયાલિસીસ પ્રોજેકટમા એક લાખ રૂપિયાનુ દાન આપેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા અતે પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, દિનેશભાઈ, જયદીપ, ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ, જયેશ પટેલ, ચંદ્રકાંતભાઈ, મનિષ પારેખ, સમીર ગાધી, પિયુષપટેલ, પ્રદીપભાઈ ધીરજ આદ્રોજા, વિપૂલભાઈ તેમજ સમર્પણ હોસ્પિટલના ધવલ બરાસરા તથા વામજાભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી