મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ-રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો


SHARE













મોરબી લાયન્સ ક્લબ-રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રણછોડદાસજી હોસ્પિટલના ડોક્ટરો અને તેમના સ્ટાફ દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો પીપળીયા ચાર રસ્તા અને આજુબાજુના માળીયા તાલુકાના ગામની જનતાએ લાભ લીધો હતો અને આ કેમ્પ સ્વ. દિવાળીબેન કરમશીભાઈ રૂપાલા અને સ્વ. રમણિકભાઈ પોપટભાઈ રાજકોટિયાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો. અને કેમ્પનો ૧૦૧ દર્દીઓ લાભ લીધો હતો તેમજ આ કેમ્પના દાતા કેપિટેક નોન વુવન ઇન્ડીયા પ્રા.લી.ના જયંતીભાઈ રાજકોટિયા રીજિયન-૨ ના ચેરપર્સન રમેશભાઇ રૂપાલા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, પાસ્ટ પ્રમુખ ભીખાભાઈ લોરિયા અને અમૃતલાલ સુરાણી તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા આ નેત્રયજ્ઞ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ કલબના પ્રેસિડેન્ટ  ટી.સી.ફુલતરિયા, રીજિયન ચેરપર્સન રમેશ રૂપાલા, લાયન્સ સભ્યો તથા સદગુરૂ આશ્રમ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી  






Latest News