માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો


SHARE

















મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો

મોરબીમાં શનાળા રોડ પર નવા બસસ્ટેશન પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરે સદગુરૂ પ્રેમપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૨ માં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.જેમાં ગઈકાલે અંતિમ દિવસે મોરબીમાં પ્રથમવાર સૌથી મોટો અન્નકૂટ ૧૦૦૮ વાનગીઓ જેમાં અલગ અલગ કુલ ૫૦૦ કિલોથી વધુ મીઠાઈઓ ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરવવામાં આવી હતી.આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.પાટોત્સવમાં અભિષેક, દર્શન, જપ, યજ્ઞ તા.૩ થી ૯ સત્સંગ કથા યોજાઈ હતી જેમાં કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી દિવ્યપ્રકાસદાસજીસ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું.પાટોત્સવને સફળ બનાવવા શાસ્ત્રી સ્વામી, ધ્યાન સ્વામી, ટ્રસ્ટીઓ તેમજ હરિભક્તોએ સેવા આપી હતી.




Latest News