મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો


SHARE











મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો

મોરબીમાં શનાળા રોડ પર નવા બસસ્ટેશન પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરે સદગુરૂ પ્રેમપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૨ માં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.જેમાં ગઈકાલે અંતિમ દિવસે મોરબીમાં પ્રથમવાર સૌથી મોટો અન્નકૂટ ૧૦૦૮ વાનગીઓ જેમાં અલગ અલગ કુલ ૫૦૦ કિલોથી વધુ મીઠાઈઓ ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરવવામાં આવી હતી.આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.પાટોત્સવમાં અભિષેક, દર્શન, જપ, યજ્ઞ તા.૩ થી ૯ સત્સંગ કથા યોજાઈ હતી જેમાં કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી દિવ્યપ્રકાસદાસજીસ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું.પાટોત્સવને સફળ બનાવવા શાસ્ત્રી સ્વામી, ધ્યાન સ્વામી, ટ્રસ્ટીઓ તેમજ હરિભક્તોએ સેવા આપી હતી.






Latest News