મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા


SHARE









મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા

મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા બાવાજી આધેડ દ્વારા પોતાની પત્નીને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને સાંજના સમયે નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે.બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો છે.વધુમાં હત્યાના બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક કંકાસને લઈને પતિએ પત્નીની હત્યા કરી હોય હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા સર્કીટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર વર્ષ આશરે ૫૫) ને માથાના ભાગે દસ્તા જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાંખતા બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ દ્વારા તેમના પત્ની ભાવનાબેનની સાંજના સમયે નિર્મમ હત્યા કરવામાં આવેલી છે.મૃતક ભાવનાબેનને પાંચ સંતાનો છે.જેમાં ચાર દીકરીઓ અને એક દિકરો છે. ચાર પૈકી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે.છેલ્લા ઘણા સમયથી હત્યા કરીને નાશી છુટેલા પ્રવીણભાઈ કુબાવત કોઈ કામ ધંધો કરતા ન હોય એને નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું તેમના આસપાસના સુત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News