માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા


SHARE

















મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા

મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા બાવાજી આધેડ દ્વારા પોતાની પત્નીને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને સાંજના સમયે નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે.બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો છે.વધુમાં હત્યાના બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક કંકાસને લઈને પતિએ પત્નીની હત્યા કરી હોય હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા સર્કીટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર વર્ષ આશરે ૫૫) ને માથાના ભાગે દસ્તા જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાંખતા બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ દ્વારા તેમના પત્ની ભાવનાબેનની સાંજના સમયે નિર્મમ હત્યા કરવામાં આવેલી છે.મૃતક ભાવનાબેનને પાંચ સંતાનો છે.જેમાં ચાર દીકરીઓ અને એક દિકરો છે. ચાર પૈકી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે.છેલ્લા ઘણા સમયથી હત્યા કરીને નાશી છુટેલા પ્રવીણભાઈ કુબાવત કોઈ કામ ધંધો કરતા ન હોય એને નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું તેમના આસપાસના સુત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News