મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન


SHARE













મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

મોરબીની જુદી-જુદી ત્રણ શૈક્ષણીક સંસ્થાઓમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અહીંની ન્યુએરા ગ્લોબલ સ્કુલ  ખાતે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા.૧૩ ને રવિવારના સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મુંબઇ અને સીડનીની વિવિધ સંસ્થાઓના એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કુલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

એ રીતે જ મોરબીના જાણીતા નવયુગ શૈક્ષણિક સંકુલના નવયુગ કીડસ તેમજ નવયુગ પ્રિ-સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ આજે યોજાવાનો છે.આજે તા.૧૨-૩ ના સાંજના ચાર વાગ્યે લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક બેંકવેટમાં બ્લોમીંગ બડ્સ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ અહિંના બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા પણ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલ તા.૧૩-૩ ને રવિવારના સાંજે આઠેક વાગ્યે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ સરદાર પટેલ રોડ લેકસસ બંગલો સામે કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ કવાડિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે.તેમ સંસ્થામા સંચાલક રાજેશ ભીમાણીએ જણાવેલ છે.






Latest News