ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE













હળવદના રાતાભેર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા વીરભદ્રસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉમર ૨૫) એ રાતાભેર ગામ પાસે આવેલ તેઓની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વીરભદ્રસિંહ ચૌહાણનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

યુવાનનો આપઘાત

માળીયા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વિપુલભાઈ પુનાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ માનસિક અસ્થિરતાને કારણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે અર્ધબેભાન હાલતમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News