માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી


SHARE

















મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી

શિક્ષણ વિભાગ અને જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ગત તા.૧૩ થી ૧૫ માર્ચના સાબરકાંઠા જિલ્લાના ડાયટ ભવન ઈડર ખાતે યોજાયો હતો.જેમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા કક્ષાએ પસંદ થયેલ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા.રાજ્ય કક્ષાનાં આ ફેસ્ટીવલમાં મોરબી જિલ્લામાંથી પસંદ થયેલ પાંચ શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજુ કર્યા હતા.જેમાં પ્રાથમિક વિભાગમાં માળીયા તાલુકાના શિક્ષક બેચરભાઈ ગોધાણી, ટંકારા તાલુકાના કલ્પેશભાઈ પટેલ અને વિધીબેન પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં ટંકારાના પ્રવિણભાઈ વાટકિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અમીતભાઈ તન્નાએ પોતાની શાળાઓમાં કરેલ બેસ્ટ પ્રેક્ટિસ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને જીસીઈઆરટીના નિયામક પ્રફુલભાઈ જલુ,.તાજેતરમાં નિવૃત થયેલ ટી.એસ.જોશી તેમજ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે આ શિક્ષકોના સ્ટોલની મુલાકત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.




Latest News