મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ: રાસંગપરનું રામામંડળ આજે મોરબીમાં રમઝટ બોલાવશે


SHARE













વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ

વાંકાનેર પંથકના ખેડૂતો પોતાના ચણાનું ટેકાના ભાવે વેચાણ કરી શકે તે માટે વાંકાનેર ખાતે કેન્દ્ર ન હોય તેઓએ ૫૦ કિલોમીટરનું અંતર કાપીને મોરબી આવું પડે છે..! માટે ખેડૂતોને પડતી આ હાલાકી મુદ્દે અહીંના ગુજકોમાસોલના હોદ્દેદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેર ખાતે ચણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે.વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ટંકારા મુકામે હોય ખેડૂતને હેરાન થવું પડે છે અને ૫૦ કિલોમીટરનું અંતર કાપીને ખેડૂતોએ ટંકારા આવવું પડે છે. તે માટે ગુજકો માર્સલના ડિરેક્ટર તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયાને રૂબરૂમાં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખ જલાલભાઈ શેરસીયાએ લેખીત રજૂઆત કરતા આ વાતને ધ્યાને લઇને બે દિવસમાં વાંકાનેરમાં કેન્દ્ર ચાલુ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ છે.

મોરબીમાં આજે રાતે રાસંગપરનું રામામંડળ રમઝટ બોલાવશે

મોરબીના રવાપર-ઘુનડા પર આવેલી શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરના જાણીતા રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.સાહેબ પેલેસના મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા તેમજ મયુરભાઈ આદ્રોજા પરિવાર દ્વારા આયોજીત આ રામામંડળ આજે તા.૧૬ ને બુધવારના રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય રીતે પ્રસ્તુતિ કરી રામદેવપીરજીનું જીવન ચરિત્ર રજુ કરશે.રામામંડળ નિહાળવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News