ટંકારાના લજાઈ પાસે આવેલ એલીટ કોલેજના વિદ્યાર્થીએ સર્જ્યો નવો વિક્રમ
મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે
SHARE
મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે
રોટરી ક્લબ-મોરબી દ્વારા અગાઉ ત્રણ સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ચોથી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે.કેમ્પનો અહિંના સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.
વર્ષોના અનુભવી આયુર્વેદિક તબીબ દ્વારા નાડી પરીક્ષણ કરીને યોગ્ય નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે માટે જુના અને હઠીલા રોગો જેમ કે હાથીપગા, ગોઠણ અને કમરના દુખાવા, સાયટીકા, સ્ત્રીરોગો, સોર્યાસીસ અને ડાયાબિટીસ સહિતના રોગોના આયુર્વેદિક ઉપચાર માટે કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.કેમ્પમાં ભાગ લેવા માટે નામ નોંધણી જરૂરી છે કેમ્પ આગામી તા.૨૭ ને રવિવારે સવારે ૯ થી ૫ સુધી યોજાશે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા અને હરીશભાઇ શેઠનો મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૨૮૫૨ અથવા ૯૩૭૬૧ ૬૧૪૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.