મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી


SHARE













ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી

ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન તરીકે ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓના હોમ ગ્રાઉન્ડ એટ્લે કે મોરબીમાં જ શિસ્તના નામે લીરે લીરા ઊડી રહ્યા છે તો પણ મોહનભાઇ કેમ મૌન છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કર્યો છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલા મોરબી પાલિકામાં પ્રમુખ કુસુમબેન પરમારના પતિએ તેઓના વાડી વિસ્તારમાં કામ બાબતે અરજદારની સાથે ગાળાગાળી કરી હતી તેનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ જમીનના ધંધાર્થી સાથે બેફામ ગાળાગાળી કરી હતી તેનો પણ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ છતાં પણ ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કે જે મોરબીમાં જ રહે છે તેઓ કેમ મૌન છે તેવો સવાલ તેમણે કર્યો છે

હાલમાં જે રીતે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહયો છે અને તેના ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે તો પણ શિસ્ત સમિતિ દ્વારા કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને ભાજપની આબરૂના લીરેલીરા થઈ રહ્યા છે ત્યારે આ મુદે આગામી દિવસોમાં ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને જો ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન  દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આખા ગુજરાતમાં તેની વિપરીત અસર જોવા મળશે અને આગેવાનો દ્વારા આવો બેફામ વાણી વિલાસ અરજદારો સહિતના લોકોની સાથે ચાલુ જ રાખવામા આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News