માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી


SHARE

















ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી

ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન તરીકે ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓના હોમ ગ્રાઉન્ડ એટ્લે કે મોરબીમાં જ શિસ્તના નામે લીરે લીરા ઊડી રહ્યા છે તો પણ મોહનભાઇ કેમ મૌન છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કર્યો છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલા મોરબી પાલિકામાં પ્રમુખ કુસુમબેન પરમારના પતિએ તેઓના વાડી વિસ્તારમાં કામ બાબતે અરજદારની સાથે ગાળાગાળી કરી હતી તેનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ જમીનના ધંધાર્થી સાથે બેફામ ગાળાગાળી કરી હતી તેનો પણ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ છતાં પણ ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કે જે મોરબીમાં જ રહે છે તેઓ કેમ મૌન છે તેવો સવાલ તેમણે કર્યો છે

હાલમાં જે રીતે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહયો છે અને તેના ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે તો પણ શિસ્ત સમિતિ દ્વારા કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને ભાજપની આબરૂના લીરેલીરા થઈ રહ્યા છે ત્યારે આ મુદે આગામી દિવસોમાં ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને જો ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન  દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આખા ગુજરાતમાં તેની વિપરીત અસર જોવા મળશે અને આગેવાનો દ્વારા આવો બેફામ વાણી વિલાસ અરજદારો સહિતના લોકોની સાથે ચાલુ જ રાખવામા આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News