મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી


SHARE











ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી

ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન તરીકે ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓના હોમ ગ્રાઉન્ડ એટ્લે કે મોરબીમાં જ શિસ્તના નામે લીરે લીરા ઊડી રહ્યા છે તો પણ મોહનભાઇ કેમ મૌન છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કર્યો છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલા મોરબી પાલિકામાં પ્રમુખ કુસુમબેન પરમારના પતિએ તેઓના વાડી વિસ્તારમાં કામ બાબતે અરજદારની સાથે ગાળાગાળી કરી હતી તેનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ જમીનના ધંધાર્થી સાથે બેફામ ગાળાગાળી કરી હતી તેનો પણ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ છતાં પણ ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કે જે મોરબીમાં જ રહે છે તેઓ કેમ મૌન છે તેવો સવાલ તેમણે કર્યો છે

હાલમાં જે રીતે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહયો છે અને તેના ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે તો પણ શિસ્ત સમિતિ દ્વારા કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને ભાજપની આબરૂના લીરેલીરા થઈ રહ્યા છે ત્યારે આ મુદે આગામી દિવસોમાં ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને જો ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન  દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આખા ગુજરાતમાં તેની વિપરીત અસર જોવા મળશે અને આગેવાનો દ્વારા આવો બેફામ વાણી વિલાસ અરજદારો સહિતના લોકોની સાથે ચાલુ જ રાખવામા આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News