ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે


SHARE













મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે

આવતી કાલે રવિવારે તા.૩-૪ ના રોજ શ્રી રામધામ જાલીડા મકામે પ.પુ.ગુરૂદેવ શ્રી હરીચરણદાસ મહારાજના અંતરિક્ષથી આશિર્વાદ મેળવવા માટે પુ.ગુરૂદેવના પ્રિય હનુમાન ચાલિસાના પાઠનું આયોજન કરાયેલ છે.જેમાં શ્યામ ધુન મંડળ દ્રારા રામધુન યોજાશે.ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.કાર્યક્રમ સાંજે ૫ થી ૮ યોજાશે.કાર્યક્રમમાં આવનાર ગુરૂભાઈઓએ રવિવાર ૧૨ વાગ્યા સુધીમાં આવનાર લોકોની સંખ્યા મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૪૬૩૩, ૯૯૨૪૪ ૯૯૨૦૨, ૯૭૧૨૯ ૮૦૨૭૮ ઉપર લખાવી દેવા શ્રી રામધામ ટ્રસ્ટ જાલીડા (વાંકાનેર) એ યાદીમાં જણાવેલ છે.

સુંદરકાંડના પાઠ યોજાશે

ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદગુરૂ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૨ ને સોમવારના રોજ બ્રહ્મલીન થયા.તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબીના ગુરુભાઈઓ દ્વારા તા.૫-૪ ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામા આવ્યુ છે.સંગીતમય શૈલીમા સુંદરકાંડનુ રસપાન કરવા તેમજ ગુરૂજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકોએ અપીલ કરેલ છે.






Latest News