માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે


SHARE

















મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે

આવતી કાલે રવિવારે તા.૩-૪ ના રોજ શ્રી રામધામ જાલીડા મકામે પ.પુ.ગુરૂદેવ શ્રી હરીચરણદાસ મહારાજના અંતરિક્ષથી આશિર્વાદ મેળવવા માટે પુ.ગુરૂદેવના પ્રિય હનુમાન ચાલિસાના પાઠનું આયોજન કરાયેલ છે.જેમાં શ્યામ ધુન મંડળ દ્રારા રામધુન યોજાશે.ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.કાર્યક્રમ સાંજે ૫ થી ૮ યોજાશે.કાર્યક્રમમાં આવનાર ગુરૂભાઈઓએ રવિવાર ૧૨ વાગ્યા સુધીમાં આવનાર લોકોની સંખ્યા મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૪૬૩૩, ૯૯૨૪૪ ૯૯૨૦૨, ૯૭૧૨૯ ૮૦૨૭૮ ઉપર લખાવી દેવા શ્રી રામધામ ટ્રસ્ટ જાલીડા (વાંકાનેર) એ યાદીમાં જણાવેલ છે.

સુંદરકાંડના પાઠ યોજાશે

ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદગુરૂ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૨ ને સોમવારના રોજ બ્રહ્મલીન થયા.તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબીના ગુરુભાઈઓ દ્વારા તા.૫-૪ ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામા આવ્યુ છે.સંગીતમય શૈલીમા સુંદરકાંડનુ રસપાન કરવા તેમજ ગુરૂજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકોએ અપીલ કરેલ છે.




Latest News