ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા


SHARE













ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગયેલ છે અને ૧૧૨ વર્ષનો ગરમીનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે ત્યારે આવી સ્થિતિમાં, ઘણા લોકોએ ગરમીને દૂર કરવા અને શરીરને ઠંડક આપવા માટે ફ્રીઝમાં રાખેલા પાણીનું સેવન કરવાનું શરૂ કર્યું છે પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જે છે.

ત્યારે શરીરને રોગોથી દૂર રાખવા અને ઠંડા પાણીથી તરસ છીપાવવા માટે, તમે ઘડાના વિકલ્પને પસંદ કરી શકો છો. માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. આટલું જ નહીં, તેમાં રહેલા ઘણા ફાયદાકારક મિનરલ્સ પણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે ઘણીવાર ગરમી હોય ત્યારે વ્યક્તિ ફ્રીઝમાં રાખેલ ઠંડુ પાણી પીવે છે, જેનાથી તેના ગળા અને શરીરને ખરાબ અસર થાય છે તો બીજી તરફ ઘડાનું પાણી પીવાથી ગળા પર કોઈ ખરાબ અસર પડતી નથી. અને માટીના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરના ગ્લુકોઝ લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે જો ઘડાનું પાણી નિયમિતપણે પીવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી રાખવાથી અશુદ્ધિઓ ભેગી થાય છે અને પાણી અશુદ્ધ બને છે. તેમજ માટીના વાસણનું પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ખાસ વાત એ છે કે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો કરીને તે હાર્ટ એટેકની શક્યતાને પણ ઘટાડે છે આટલું જ નહીં માટીના વાસણનું પાણી પીવાથી ત્વચાને લગતી અનેક સમસ્યાઓ જેવી કે ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ખીલમાંથી રાહત મળે છે.






Latest News