ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા રોડે કારખાનામાં પગથિયું તૂટતા નીચે પટકાવાથી રાજસ્થાની આધેડનું મોત


SHARE













મોરબીના ગાળા રોડે કારખાનામાં પગથિયું તૂટતા નીચે પટકાવાથી રાજસ્થાની આધેડનું મોત

મોરબીના ગાળા રોડ ઉપર આવેલ કારખાનામાં પાણીનો ટાંકો ચેક કરવા માટે આધેડ ઉપર જતા હતા ત્યારે સીડીનું પગથિયું તૂટતા તે નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી અને હાલમાં મોરબીના ગાળા રોડ ઉપર આવેલ બિયોટા પેપર મિલ નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામુભાઈ લવજીભાઈ કટારા (૫૨) નામના આધેડ કારખાનાની અંદર ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આ બનાવની તપાસ કરતા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે મૃતક રામુભાઈ કારખાનામાં ૩૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલ પાણીનો ટાંકો ચેક કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે પગથિયું તૂટી જતા તે ઉપરથી નીચે પટકાયા હતા અને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતા અનુભાઈ સવજીભાઈ દેવીપુજક (ઉંમર ૫૫) મોરબી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્રીનાથજી કાંઠા પાસે તેને અજાણ્યા લોડર ચાલકે અડફેટે લીધા હતા જેથી અનુભાઈ દેવીપુજકને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા






Latest News