મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતા તબીબના પત્નીએ રવાપરના તળાવમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE













મોરબીના રવાપર રોડે રહેતા તબીબના પત્નીએ રવાપરના તળાવમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ બગથળાના વતની વૃદ્ધા પોતાના ઘરેથી ગઈકાલે બપોરના ગુમ થઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રીના તેઓનો મૃતદેહ મોરબી નજીકના રવાપર ગામે આવેલા તળાવમાંથી મળી આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બગથળા ગામના વતની અને હાલ છેલ્લા ઘણા સમયથી મોરબીના રવાપર રોડ ઉપર અનપમ સોસાયટીમાં રહેતા ધીરજલાલ ફુલતરીયાના પત્ની મંજુલાબેન (ઉંમર વર્ષ ૭૭) ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેમના ઘરેથી ગુમ થઈ ગયા હતા. જેથી પરિવારજનોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી તેમની શોધખોળ હાથ ધરી હતી.જોકે મંજુલાબેનનો પતો લાગ્યો ન હતો.દરમિયાનમાં આજે તા.૪ ના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં ગુમ થયેલા મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા જાતે પટેલ નામના ૭૭ વર્ષીય વૃધ્ધાનો મૃતદેહ મોરબી નજીકના રવાપર ગામના તળાવમાં પાણીમાંથી મળી આવ્યો હતો અને તેઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું હાલ એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા સમયથી મંજુલાબેનને વધુ પડતી બીપીની તકલીફ રહેતી હોય તેઓ નજીવી વાતે પણ ઉગ્ર બની જતાં હતા અને તેમનો ચિડિયો સ્વભાવ થઈ ગયો હતો.પારિવારિક બાબતો સર નજીવી બોલાચાલી થતાં 'હું તમને બધાને નડુ છું' તેવી મૃતકને ભ્રમણા બંધાઇ ગઇ હતી અને ગઇકાલે તેઓ તેઓના ઘરેથી નીકળ્યા બાદ રિક્ષામાં બેસીને રવાપર ગામ આવ્યા હતા અને અહીં તેઓએ સંભવત: તળાવમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

આર્થિક મૂંઝવણ

મોરબીના ગ્રીનચોક વિસ્તાર પાસે આવેલ ખત્રીવાડમાં રહેતા સાગર યોગેશભાઈ નિમાવત નામના ૨૪ વર્ષીય પરિણીત યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની એ ડિવિઝન પોલીસ મથકને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી જેમાં ખુલાસો થયો હતો કે સાગરભાઇ ઈલેક્ટ્રીકનું કામકાજ કરતો હતો જોકે હાલ કામ બરોબર મળતુ ન હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને પગલે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. અત્રે નોંધનીય છે હાલમાં ઘર ચલાવવા માટેની તમામ વસ્તુઓ તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવોમાં અસહ્ય ભાવ વધારો થયો છે ત્યારે લોકોનું જીવન દુષ્કર બન્યું છે.તે નરી વાસ્તવિકતા છે.






Latest News