માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના લોકો વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે જાણે તે માટે કાર્યશાળા યોજાઇ


SHARE

















મોરબીના લોકો વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે જાણે તે માટે કાર્યશાળા યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા ચૈત્ર સુદ ૧ વિક્રમ સંવત ૨૦૭૯ દિનાંક ૨-૪ ને શનિવારે "વૃક્ષદેવ પરિચય કાર્યશાળા"નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યુ હતુ.વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે વૈદ કિરીટસિંહ ઝાલા તેમજ પરિશ્રમ ઔષધીય વન મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લગભગ ૯૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યશાળામાં ૪૫ જેટલા ભાઈ-બહેનો ઊપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું.પ્રતિભાગીઓમાં આ કાર્યક્રમ બીજીવાર થાય તેવી માંગ ઉઠી છે.




Latest News